પાકિસ્તાનના નેતાએ કર્યા ભારતના વખાણ: ફરાજે કહ્યું- દુશ્મન દેશનું ઉદાહરણ આપવા માંગતો નથી પરંતુ ભારતની જેમ આપણે ચૂંટણી ન કરી શકીએ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13062024_100055_Sibal faraz.webp)
- 13 Jun, 2024
મશીન(EVM) પર સતત સવાલો ઉઠાવતા આવ્યા છે. જોકે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની સંસદમાં એક વિપક્ષના નેતાએ ઈવીએમ અને ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરી છે. પાકિસ્તાનના વિપક્ષના નેતા શિબલી ફરાજે પાકિસ્તાનની ચૂંટણી પ્રણાલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે ભારતે આટલી મોટી ચૂંટણી કોઈ પણ પ્રકારની બબાલ વગર પારી પાડી દીધી.
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે પાકિસ્તાનની ચૂંટણી પ્રક્રિયા અને ધાંધલધમાલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે હું આપણા દુશ્મન દેશનું ઉદાહરણ આપવા માંગતો નથી, ત્યાં હમણાં જ ચૂંટણી થઈ છે. 80 કરોડ લોકોએ મતદાન કર્યું. કેટલા હજાર મતદાન મથકો બનાવ્યા. એક જ જગ્યાએ એક વ્યક્તિ માટે પણ મતદાન મથક બનાવવામાં આવ્યું. એક મહિના કરતાં વધુ સમય સુધી ચૂંટણીઓ યોજાઈ, ઈવીએમનો ઉપયોગ કરીને ચૂંટણી યોજાઈ.
તેમણે વધુમાં કહ્યું આ સમયગાળા દરમિયાન શું એક પણ અવાજ ઉઠ્યો હતો કે ચૂંટણીમાં ધાંધલધમાલ થઈ ? અમે પણ એવું જ ઈચ્છીએ છીએ. અમે નથી ઈચ્છતા કે આ દેશ કોણે ચૂંટણી જીતી અને કોણે ન જીતી તે બાબતમાં ફસાઈ જાય. આનાથી આપણી રાજનૈતિક વ્યવસ્થા સંપૂર્ણપણે પોકળ થઈ ગઈ છે. આપણે પણ આપણી ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે કેમ ન કરાવી શકીએ?
ફરાજે કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવા છતાં ભારતે છેતરપિંડીના આરોપો વિના તેની વિશાળ ચૂંટણીઓ સફળતાપૂર્વક હાથધરી છે. ફરાઝની પ્રશંસા ભારતની ચૂંટણી પ્રણાલીની શક્તિ અને પારદર્શિતા તરફ નિર્દેશ કરે છે અને કાર્યક્ષમતા અને વિશ્વસનીયતાનું એક મોડેલ સેટ કરે છે જે પાકિસ્તાન સહિત અન્ય લોકશાહીઓ માટે ઉદાહરણ છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધીએ હાલમાં જ વાયનાડમાં ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ચૂંટણી પંચે ચૂંટણીને પીએમની જરૂરિયાત પ્રમાણે ડિઝાઈન કરી હતી.